હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ - At This Time

હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ


*હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ*
***************
*કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી*
**********
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જામળાના અમૃત સરોવર ખાતે કરવામાં આવી હતી. તાલુકાકક્ષાના સ્વાતંત્ર્યદિને પ્રાંત અધિકારી હિંમતનગર શ્રી અનિલકુમાર ગૌસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.
૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જી.યુ.ડી.સી.ડીરેક્ટરશ્રી જે.ડી.પટેલ, અગ્રણી શ્રી વિજયભાઈ પંડ્યા તથા શ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દવે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિજયનગર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સ્વાતંત્રપર્વના કાર્યક્રમના બાદ જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, ડી.ડી.ઓ. શ્રી શાહ તથા ડી.આર.ડી.એ.શ્રી પાટીદારે જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. તેમજ અમૃત સરોવરના આગળના કામકાજ અંગે ચર્ચા કરી હતી.

abidali bhura


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.