યુનિ.એ 5-6 સેમ.ને બદલે 1થી6 સેમ.ના ગુણના આધારે PGના પ્રવેશ આપી દીધા - At This Time

યુનિ.એ 5-6 સેમ.ને બદલે 1થી6 સેમ.ના ગુણના આધારે PGના પ્રવેશ આપી દીધા


ન લેખિત નોંધ કરી કે ન વિદ્યાર્થીઓને જાણ કરી, બાદમાં કહ્યું, ફી લીધા બાદ પ્રવેશ રદ ન કરાય.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજીમાં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખને લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેની સામે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરાઇ ગઈ છે તેથી હવે પ્રવેશ રદ ન કરી શકાય તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.