વડોદરામાં અલકાપુરી ગરનાળું સમારકામ માટે બંધ કરતાં જેતલપુર બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો , વાહન ચાલકો અટવાયા છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gdoc8ra9rs57hbwg/" left="-10"]

વડોદરામાં અલકાપુરી ગરનાળું સમારકામ માટે બંધ કરતાં જેતલપુર બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો , વાહન ચાલકો અટવાયા છે.


વડોદરા શહેર હ નોકરીએ જતાં લોકો અટવાયા વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલ અલકાપુરી ગરનાળામાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે . જેથી તેવે વારંવાર બંધ કરવું પડે છે . આ માટે હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે અને અલકાપુરી ગરનાળાનું સમારકામ અને પાણીના નિકાલ માટે સમારકામ કરવામાં આવી રહ્યું છે . જેથી આજે સવારથી જ આ ગરનાળું બંધ કરી દેવા આવ્યું છે અને પોલીસે બેરિકેટ લગાવી દીધા છે . જેના કારણે અલકાપુરી તરફ જતાં અને આવતા વાહનચાલકો અટવાઇ પડ્યા છે . વાહનચાલકો હવે એકથી બીજી તરફ જવા વૈકલ્પિક રૂટ તરીકે જેતલપુર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે . જેના કારણે બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે . જેથી નોકરીએ જતાં લોકો અને શાળા - કોલેજમાં જતાં વિદ્યાર્થીઓ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે . લાઈક અત્રે ઉલ્લેખનીય છે કે અલકાપુરી ગરનાળું આમ તો બારેમાસ પાણીથી ટપકતું રહે છે અને બીજી તરફ તંત્ર પ્રિમોન્સુન કામગીરી કર્યાની વાતો કરતું રહે છે . ત્યારે હવે ભર ચોમાસે સમારકામની કામગીરી હાથ ધરાઇ છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]