ચોટીલાના ઝરીયા મહાદેવ ના બોર્ડ પાસે ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ. - At This Time

ચોટીલાના ઝરીયા મહાદેવ ના બોર્ડ પાસે ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઝરીયા મહાદેવ નાં બોર્ડ પાસે ચોટીલા વિધાનસભા, યુવા આગેવાન, તેમજ અન્ય સંગઠનો સાથે જોડાયેલા હેમંતભાઈ .એમ. સુરેલા નાં આગેવાની હેઠળ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં સામાજિક આર્થિક, રાજકીય અને રોજગારીના મુદ્દાઓની ચર્ચા વિચારણા સાથે ચિંતન બેઠક યોજવામાં આવી. ખાસ કરીને ચુવાળિયા ઠાકોર બહોળી સંખ્યા હોવા છતાં કોઈ નોંધ લેવામાં આવતી નથી. આ આયોજનમાં વિવિધ ગામના ઠાકોર સમાજના અગ્રણીઓ, અને અન્ય સમાજના આગેવાનો, દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપર ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમાં 80 ગામથી વધુ ગામના ઠાકોર સમાજ એકઠા થઈ સરકાર સામે હુંકાર ફેંકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, હેમંતભાઈ સુરેલા ચોટીલા, લાલભાઈ ચોટીલા, હકા ભુવા, રણછોડભાઈ ઉઘરેજા રાજકોટ, રીટાબેન રાજકોટ, ધીરુભાઈ હારેજા, જીવણ સોલંકી, બાળ કલાકાર જીગર ઠાકોર, રમેશભાઈ ઉઘરેજા ચોટીલા, તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.