જામનગર શહેર અને અલીયાબાડામાં જુગાર અંગે દરોડા
જામનગર તા,16 જુન 2022,ગુરૂવારજામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં તેમજ અલીયાબાડામાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા છે, અને ૬ શખ્સોની ધરપકડ કરી લીધી છે.જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી મુકેશ બચુભાઈ બારૈયા સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૩,૫૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.જુગાર અંગે નો બીજો દરોડો અલીયા બાડા ગામમાં પાડ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા મુસ્તાક મામદભાઇ મેમણ, તેમજ કાનજીભાઈ રામજીભાઈ પરમાર ની પોલીસે ધરપકડ કરી લઇ રૂપિયો ૧૪,૦૭૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.આ દરોડા સમયે બિલાલ ઇસ્માઇલ ફકીર નામનો શખ્સ ભાગી છૂટયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.