લીલીયા મોટા શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્યાતિ ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા - At This Time

લીલીયા મોટા શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્યાતિ ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા


અયોધ્યા માં રામ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ લીલીયા આયોજિત અક્ષત કળશ યાત્રા માં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ઠેર ઠેર સ્વાગત કરાયું

લીલીયા મોટા ખાતે અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી લીલીયા ના નેજા હેઠળ શ્રી રામજી મંદિર ખાતેથી બપોરના 3:30 કલાકે ભવ્ય અક્ષત કળશ યાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ જે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ જેમાં ઢોલ નગારા ના તાલે યુવાનો જુમી ઊઠ્યા હતા અને અબીલ ગુલાલ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે સમગ્ર શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત જન મેદની એ જય શ્રી રામ ના જય ઘોષથી સમગ્ર શહેર રામ મય કરી દીધું હતું જેને લઇ રામ નામના નાદ થી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું સમગ્ર બહેનો મોટી સંખ્યામાં માથે કળશ લઈ યાત્રા માં જોડાયેલ યાત્રા દરમ્યાન લીલીયા PSI એસ આર ગોહિલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.