૨૪ જાન્યુઆરીના રોજ રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે જાન્યુઆરી-૨૦૨૪ના માસનો ‘તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે - At This Time

૨૪ જાન્યુઆરીના રોજ રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે જાન્યુઆરી-૨૦૨૪ના માસનો ‘તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે


રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (ડી.આર.ડીએ)ના અધ્યક્ષસ્થાને તા.૨૪/૦૧/૨૦૨૪ને બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે રાણપુર તાલુકાનો જાન્યુઆરી-૨૦૨૪ના માસનો ‘તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે રાણપુરના તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એવા પ્રશ્નો જે તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજૂઆત કરી શકશેઆવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, રાણપુર દ્વારા જાણવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.