'ગણપતિ બાપ્પા મોરિયા'   - At This Time

‘ગણપતિ બાપ્પા મોરિયા’  


 
ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં મારૂતિ યજ્ઞ તથા ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે તા.31-08-2022ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. ગણેશ ચતુર્થી અંતર્ગત સવારે ૮:૩૦ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી પ.પૂ.નારાયણમુની સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ જેનો હજારો ભક્તોએ Salangpur Hanumanji – Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.