શ્રી રામ જન્મોત્સવ રામ નવમીના પાવન પ્રસંગે નડિયાદ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યું - At This Time

શ્રી રામ જન્મોત્સવ રામ નવમીના પાવન પ્રસંગે નડિયાદ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યું


શ્રી રામ જન્મોત્સવ રામ નવમીના પાવન પ્રસંગે નડિયાદ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યું...

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ રામ નવમીના પાવન પ્રસંગે નડિયાદ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યું હતું....

આ યાત્રા સંતરામ મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારમાં ફરી સંતરામ મંદિર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી...

આ યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષશ્રી અવિચલ દાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંત અધ્યક્ષ તથા હિન્દુ ધર્મ સેનાના સ્થાપક શનૌતમસ્વામી મહારાજ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, હિન્દુ ધર્મ સેના ખેડા જિલ્લા અધ્યક્ષ રાજનભાઈ ત્રિપાઠી, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, હિન્દુ ધર્મ સેનાના પદાધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.