મોબાઇલ રિપેર કરાવવા જાવ છું કહી ઘરેથી નિકળેલી સગીરા મહિનાથી ગુમ - At This Time

મોબાઇલ રિપેર કરાવવા જાવ છું કહી ઘરેથી નિકળેલી સગીરા મહિનાથી ગુમ


રૈયાધાર વિસ્તારમાં રહેતી સગીરા મહિના પૂર્વે ઘરેથી મોબાઈલ રીપેર કરાવવા માટે જવાનું કહી નીકળ્યા બાદ આજ દિન સુધી પરત ન ફરતા આ અંગે સગીરાના દાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે રૈયાધાર વિસ્તારમાં રહેતા 58 વર્ષના પ્રૌઢાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની પૌત્રી કે જેના માતા હયાત ન હોય તે તેમની સાથે રહે છે. ગત તા.5/3/2024 ના બપોરના સમયે સગીરા ઘરેથી હું મોબાઈલ રીપેર કરાવવા જાઉં છું તેમ કહીને બહાર નીકળી હતી. બાદમાં તે ઘરે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ આજદિન સુધી તેનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એચ.વી.પટેલ ચલાવી રહ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.