બાલાસિનોર તાલુકાના વડદલા તાબે આવેલા સુંદરપુરા હત્યા કેસમાં હત્યારા ઝડપાયાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eft5exdy0in2j2dd/" left="-10"]

બાલાસિનોર તાલુકાના વડદલા તાબે આવેલા સુંદરપુરા હત્યા કેસમાં હત્યારા ઝડપાયાં


બાલાસિનોર તાલુકાના વડદલા તાબે આવેલ સુંદરપુરા ગામ ખાતે તા.10 માર્ચના રોજ પ્રેમી યુગલ રાત્રિના સમયે મુલાકાત દરમિયાન યુવતીના ભાઈ જોઈ જતા બહેનના પ્રેમીને માર મારી હત્યા કરી ગામના તળાવમાં ડુબાડી દેવાની ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ સમગ્ર બનાવમાં બાલાસિનોર પોલીસે હત્યા કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

બાલાસિનોર પોલીસે હત્યા કરનાર ત્રણ ઇસમો પૈકી યુવતીના ભાઈ નિખિલ અને પ્રતાપસિંહના નિવેદન લીધા હતા. જેમાં બંને ભાઈઓએ પોલીસ સમક્ષ પોતાની કેફિયત માં જણાવ્યુ હતુ કે તા.9 માર્ચના રાતના સમયે ઘરમાં બધા સુતા હતા. તે સમયે યુવતી તેની પથારીમાં જોવા ન મળતા માતાએ બંને ભાઈઓને ઉંઘમાંથી ઉઠાડી બહેન પથારીમાં નથી અને ક્યાં જતી રહી હોવાનું જણાવ્યું હતું. તેથી બંને ભાઈઓ ગુમ થયેલ બહેનની તપાસ કરતા મકાનથી 500 મીટરના અંતરે આવેલા એક ખેતરમાં એક અજાણ્યો યુવાન બાઇક લઈ ઉભો હતો.

તેથી ત્યાં જઈ ગુમ થયેલ બહેન અંગે પૂછતાં તેણે ઈશારો કરી આગળના બાજરીના ખેતરમાં હોવાનું જણાવતા બંને ભાઈઓ ખેતરમાં ગયા હતા. ત્યાં બહેન અને તેના પ્રેમી બિભસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. દરમિયાન સમગ્ર બનાવથી હતપ્રત થઇ ગયેલી બહેન ઘટના સ્થળેથી ફરાર થઇ ગઇ હતી. જ્યારે પ્રેમી હાથમાં આવી જતા તેને માર મારી હત્યા કરી ખેતર થી 100 મીટરના અંતરે આવેલા સુંદરપુરા ગામના તળાવમાં નાખી દીધો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેના કાકા આતમભાઈ લાશને સગેવગે કરવામાં મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]