*સુવાસીની વિદ્યામંદિર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન* - At This Time

*સુવાસીની વિદ્યામંદિર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન*


*સુવાસીની વિદ્યામંદિર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન*

બોટાદ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તારીખ ૦૨/ ૦૭ /૨૦૨૨ ને શનિવારના રોજ શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ થી ૧૨ સુધીના કુલ ૧૮૨ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ *વ્યસન મુક્ત સમાજ* આ વિષયને અનુરૂપ વિવિધ ચિત્રો દોર્યા હતા. આ સ્પર્ધાનો હેતુ *વ્યસનથી થતા નુકસાન અને મારી શાળા તમાકુ મુક્ત શાળા* અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેનો રહ્યો હતો. સમગ્ર ચિત્ર સ્પર્ધા શાળાના શિક્ષક ગૌરાંગ સરના આયોજન હેઠળ મહિપાલ સર , અવનીબેન , જ્યોતિબેન અને પ્રિયલબેનના માર્ગદર્શન દ્વારા યોજવામાં આવી હતી. અંતમાં શાળાનાં આચાર્ય અશોકભાઈ કાનેટીયા તથા ભરતભાઈ બારૈયા દ્વારા સૌને જીવનમાં વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

અહેવાલ લેખન : પારેખ લાલજીભાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.