બોટાદ ના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારે ધુળેટી પર્વ નિમિત્તે દાદાના દર્શન કર્યા - At This Time

બોટાદ ના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારે ધુળેટી પર્વ નિમિત્તે દાદાના દર્શન કર્યા


દેશમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે મતદારો ને મનાવવા સભાઓ બેઠકો અને રેલી યોજશે તો ધાર્મિક ઉત્સવોમા રાજકીય નેતાઓ પહોંચી મતદારોને રીઝવી રહા છે ત્યાંરે આજે ધુળેટી પર્વ નિમિત્તે બોટાદ ના ધારાસભ્ય અને ઈન્ડિયા ગઠબંધનના ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શને પહોચી રંગોત્સવમા ભાગ લીધો હતો જ્યાંરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ના શાસ્ત્રી હરી પ્રકાશ સ્વામી તેમજ માધવ સ્વામીએ ફુલહારથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી તમામ લોકોને ધુળેટી પર્વની શુભેકામના પાઠવી હતી તેમજ અહંકારી લોકો છે જે લોકશાહીની હત્યા કરે છે તેની દેશમાંથી મુક્તિ થાય તેવી હનુમાનજી દાદાને પ્રાથના કરી હોવાનું ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ મીડીયાને જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.