માળીયાહાટીના માં કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dte39fbk3rkxigbu/" left="-10"]

માળીયાહાટીના માં કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે


માળીયાહાટીના માં તારીખ 16/4/2024 થી તારીખ 23/4/ 2024 સુધી
મૂળ માળીયાહાટીના વાળા હાલ બોમ્બે વ્રજલાલ કરસનદાસ કક્કડ (લાલાભાઇ કક્કડ અને રાજુ ભાઈ કક્કડ ) પરિવાર દ્વારા માળીયા હાટીના લોહાણા મહાજન વંડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન વક્તા શાસ્ત્રી શ્રી કેતનભાઇ પેરાણી બિરાજી સંગીત સાથે પોતાની મધુર વાણીથી કથાનું મધુર રસપાન કરાવશે

આ કથા દરમિયાન શિવ ચરિત્ર વામન જન્મ નરસિંહ જન્મ રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ ગોરધન પૂજા રૂક્ષ્મણી વિવાહ સુદામાચરિત્ર સહિતના વિવિધ પ્રોગ્રામો યોજાશે તો આ કથાનો લાભ લેવા ધર્મપ્રમેય ભાઈઓ તથા બહેનોને પધારવા લાલાભાઇ કક્કડ. અને રાજુ ભાઈ. કક્કડ એ. એક યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]