આજે શિહોર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ભાવનગર સ્ટેટ ના યુવરાજ જય વિર રાજ સિંહનું સ્વાગત કરાયું - At This Time

આજે શિહોર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ભાવનગર સ્ટેટ ના યુવરાજ જય વિર રાજ સિંહનું સ્વાગત કરાયું


આજરોજ સિહોર ખાતે સિહોર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજીત દશેરાના શસ્ત્ર પૂજન નિમિત્તે સિહોરના દરબારગઢથી નીકળતી શોભાયાત્રા દરમિયાન સિહોર બ્રહ્મભટ્ટ સમાજની બાળાઓ દ્વારા પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના વંશજ અને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહજીને કુમકુમ તિલક કરીને બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરાવીને ખારાકુવા ચોક ખાતે વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં સિહોર બ્રહ્મભટ્ટ સમાજના ચંપકભાઈ મલુકા, ઘનશ્યામભાઈ રાણા,તનસુખભાઈ રાવ,આનંદભાઈ રાણા,નિલેશભાઈ પ્રબતાણી,હરેશભાઈ પ્રબતાણી, અનિરુદ્ધ રાણા,અજય રાણા,અનિલ પ્રબતાણી, યુવરાજ રાવ,વિમલ રાણા,પ્રણવ રાણા,કલ્પેશ રાણા,દિગ્વિજય રાણા,પાર્થ રાણા,ડેવિડ રાવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.