દહીંથરા ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓને વિદાય અને જ્ઞાનસાધના માર્ગદર્શન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dir2aeq9q0qcgosp/" left="-10"]

દહીંથરા ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓને વિદાય અને જ્ઞાનસાધના માર્ગદર્શન


દહીંથરા ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓને વિદાય અને જ્ઞાનસાધના માર્ગદર્શન

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળામાં ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભનની સાથે ઈનામ વિતરણ, CET અને જ્ઞાનસાધના પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ અક્ષયદ્રવ્યનની શરૂઆત કરવામાં આવી. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ આઠ વષૅના પોતાના સુંદર અનુભવો રજુ કર્યા. પોતાની લાગણીઓને ગીત સ્વરૂપે રજુ કરી અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી .શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે નાસ્તો કર્યો. શાળા સાથેના સંસ્મરણો યાદ રાખવા ફોટો પડાવ્યા. અને સુંદર રીતે કાર્યક્રમ પૂણે થયો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]