પુત્રના વિરહમાં વાલ્મિકીવાડીમાં મહિલાએ ઝેરી દવા પીધી - At This Time

પુત્રના વિરહમાં વાલ્મિકીવાડીમાં મહિલાએ ઝેરી દવા પીધી


રાજકોટના ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા દિપાબેન પ્રકાશભાઈ બારૈયા(ઉ.વ.42) ગઈકાલે રાત્રીના સમયે વાલ્મિકી વાડી આવાસમાં રહેતા બહેનને ત્યાં ગયા હતા ત્યાં તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેઓને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દીપાબેનના પતિ સફાઈ કામદાર છે.તેઓએ જણાવ્યું હતું કે,એકાદ વર્ષ પહેલાં પુત્ર આયુષ(ઉ.વ.17)નું મોબાઈલ લેતી દેતી મામલે ભાવનગર રોડ પર સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.જે બનાવમાં થોરાડા પોલીસે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.