ઈડર તાલુકાના વડિયાવિરગામ અને બિલેશ્વરધામ માં 51000 દિવડા નું આયોજન કરાયું. - At This Time

ઈડર તાલુકાના વડિયાવિરગામ અને બિલેશ્વરધામ માં 51000 દિવડા નું આયોજન કરાયું.


વડિયાવિરગામ અને બિલેશ્વરધામ માં 51000 દિવડા નું આયોજન કરાયું.
ગુજરાત રાજ્ય ના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વડિયાવિર ગામ પાસે આવેલ બિલેશ્વર ધામ ના મહંત શાંતિગીરી મહરાજ ને અયોધ્યા થી આમંત્રણ આપવામાં આવ્યું છે તે સાબરકાંઠા જિલ્લા નું સન્માન છે તેવા બિલેશ્વર ધામ માં અને વડિયાવિર ધામ માં 22 જાન્યુઆરી ના રોજ સાંજે 51000 દિવડા પ્રગટાવવા ના છે તેમાં ગામ ના 300 ઘર માં 100 દિવડા લેખે 30 000 દિવડા અને 21000 દિવડા બિલેશ્વર ધામ માં પ્રગટાવવા માં આવશે અને હર્ષ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી દીવાળી ના જેવો તહેવાર મનાવવામાં આવશે.ગામ ના તમામ યુવાનો એ દરેક ઘરે તેલ અને દિવડા પહોચાડવા ની જવાબદારી લીધેલ છે...

સાબરકાંઠા ઇડર તાલુકો
રિપોર્ટર હસન અલી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.