મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ આગરવાડા ગામે એક ઘર પર વિજળી પડી કોઈ જાનહાનિ નહિ. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ આગરવાડા ગામે એક ઘર પર વિજળી પડી કોઈ જાનહાનિ નહિ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ આગરવાડા ગામે આજ રોજ ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હતો તે સમયે ગામનાં રહીશ નાનાભાઈ મસુરભાઈ નાં ઘર ઉપર એકાએક વિજળી પડી હતી વિજળી પડવાથી ઘર વખરી ને નુકશાન થયું હતું તથા નાના ભાઈ ને પણ સામાન્ય ઈજા થઈ હતી તથા ગામ માં આવેલ વિદ્યુત નું ટી. સી. બળી ગયું હતું અને ગામનાં બીજા ઘરો માં પણ વિદ્યુત નાં ઉપકરણો જેવાકે પંખા, ટી.વી. બલ્બ, વગેરે ઉપકરણો પણ બળી ગયા હતા.
આ બનાવથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બનાવની જાણ નાના ભાઈ દ્વારા મુનપુર ગ્રુપ ગ્રામ પંચાયત માં કરવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.