જામકંડોરણામાં રામ નવમીના પાવન પવેૅ ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bu8hvfinlyfrq7ic/" left="-10"]

જામકંડોરણામાં રામ નવમીના પાવન પવેૅ ભવ્ય શોભાયાત્રા નીકળી


જામકંડોરણામાં રામ નવમીના પાવન પવેૅ ભવ્ય શોભાયાત્રા નીકળી

જામકંડોરણામાં વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીના પાવન પવેૅ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું સવારે રામ મંદિરે મહાઆરતી કરી મંદિરના પૂજારી શ્રી ગીરીશભાઇ અગ્રાવત દંપતિના હસ્તે પ્રભુશ્રી રામની પ્રતિમાનું રથમાં સ્થાપન કરી ત્યારબાદ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ શોભાયાત્રા રામ મંદિરેથી શરૂ થઈ પટેલ ચોક, મેઈન બજાર, પાવૅતી કૂવા, અન્નપૂર્ણા માતાજી મંદિર, ભાદરા નાકા, બસ સ્ટેશન થઈ નગર નાકા થઈ રામ મંદિરે પૂણૅ થઈ હતી શોભાયાત્રા દરમ્યાન રસ્તામાં વિવિધ સ્થળોએ સેવાભાવીઓ દ્વારા સરબત, ઠંડા પીણાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા

રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]