હનુમાન મઢી પાસે ભરવાડ તરૂણીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું - At This Time

હનુમાન મઢી પાસે ભરવાડ તરૂણીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું


હનુમાનમઢી પાસે મફતીયાપરામાં રહેતી મધુબેન સુરેશભાઈ સેફાતરા (ઉ.વ.16) નામની ભરવાડ યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પુછપરછ આદરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મધુબેન ગતરોજ ઘરે હતી ત્યારે બપોરે પરિવાર સુતો હતો ત્યારે પંખાના હુકમાં શાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ ઉઠીને જોતા પુત્રી લટકતી હતી. બનાવ અંગે પરિવાર અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતક બે ભાઈ-બહેનમાં મોટી હતી. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.