બોટાદ શ્રી દિગમ્બર જૈનમંદિરે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ મનાવ્યો - At This Time

બોટાદ શ્રી દિગમ્બર જૈનમંદિરે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ મનાવ્યો


બોટાદ શ્રી દિગમ્બર જૈનમંદિરે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ મનાવ્યો

પરમ પૂજય ગુરુદેવશ્રી કાનજીસાવામી કર કમળે પ્રતિષ્ઠીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે ચોવીસમાં તીથઁકર ભગવાન શ્રીમહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ તેરસના દિવસે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાય,આ મંગલ દિવસે પરોપકારી,પરમ શ્રદ્ધેય,જીવદયાનો મહિમા બતાવનાર પૂજય કહાનગુરુદેવનો સંપ્રદાય પરીવર્તનની 90-મી જયંતી ની ઉજવણી પણ કરવામાં આવેલ હતી,આ દિવસે બાળ તીથઁકર વદ્યમાનનું પારણા ઝુલનનો વિશેષ ક્રાયઁક્મ રાખવામાં આવેલ,સવારે વીર પ્રભુનો સુવર્ણ કળશથી મંગલ અભીષેક તથા અષ્ટ પ્રકારી પૂજા, ભકિત તથા આરતી અને દિવ્ય દેશના સમાન પૂજય ગુરુદેવશ્રીનું CD પ્રવચન રાખેલ,પ્રભુવીર ભક્તો માટે કાયમી સંઘજમણનું સુંદર આયોજન કરેલ અને નાના મોટા વડિલ ભક્તો પણ બહોળી સંખ્યા માં લાભ લીધેલ હતો.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.