બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ,શુભેચ્છા સમારંભ યોજાયો - At This Time

બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ,શુભેચ્છા સમારંભ યોજાયો


બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ,શુભેચ્છા સમારંભ યોજાયો

શ્રી સુવાસીની વિદ્યામંદિર શાળા ભાંભણ રોડ બોટાદ ખાતે તારીખ 01/03/24 ને શુક્રવારના રોજ ધોરણ 10 /12 ના (વર્ષ 2023-24)ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો ભાવસભર વિદાય સમારંભ યોજાઈ ગયો.આ કાર્યક્રમની શરૂઆત મંગલમય પ્રાર્થનાથી થઈ હતી.ત્યારબાદ ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની માથાસોળિયા ખુશીબેને સમગ્ર વિદાય સમારંભની રૂપરેખા આપી અને પોતાના શાળાકીય વર્ષોના અનુભવો પોતાની આગવી અને છટાદાર શૈલીમાં વર્ણવ્યા. ત્યારબાદ ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ પણ તેમના અત્યાર સુધીના શાળાના અનુભવો વર્ણવ્યા તો આ વિભાગના શિક્ષકોએ પણ બાળકોને તેમના આવનાર વર્ષોમાં કારકિર્દી લક્ષી પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તેવી વાતો અને બાબતોથી વાકેફ કર્યા.શાળાના ટ્રસ્ટી અશોકભાઈએ વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી અને પ્રસંગોચિત પ્રેરણા રૂપ વક્તવ્ય આપ્યું.ઉ.વિભાગના શિક્ષક લાલજીભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી તેમજ કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીઓની માથાસોળિયા ખુશીબેને અને પ્રા.વિભાગના શિક્ષક ગૌરાંગભાઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલું હતું.આ વર્ષના ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓએ શાળાને ઉપયોગી થાય અને તેમની યાદગીરી રૂપે સચવાઈ રહે તેવી ભેટ સોગાતો શાળાને અર્પણ કરી હતી.કાર્યક્રમના અંતે અલ્પાહાર લઈને સૌને વિદાય આપવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.