વડનગર ખાતે કેન્દ્રીય અને સાંસ્કૃતિક વિભાગ ના બે સચિવો ની મુલાકાતે - At This Time

વડનગર ખાતે કેન્દ્રીય અને સાંસ્કૃતિક વિભાગ ના બે સચિવો ની મુલાકાતે


વડનગર ખાતે કેન્દ્રીય અને સાંસ્કૃતિક વિભાગ ના બે સચિવો ની મુલાકાતે
વડનગર પ્રેરણા સ્કૂલ કામગીરી ની સમીક્ષા કરતાં કેન્દ્રીય વિભાગ ના બે સચિવો

વડનગરમાં કેન્દ્રીય શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગ બે સચિવો ની મુલાકાત તેમાં ગોવિંદ મોહન અને શિક્ષણ સચિવ સંજયકુમાર શુક્રવારે વડનગર ની મુલાકાત આવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં ભણ્યા હતા તે પ્રેરણા સ્કૂલ ની મુલાકાત લીધી આગામી મહિનામાં પ્રેરણા સ્કૂલ શિક્ષણ વિભાગ ને સોંપવામાં આવે તેવી શક્યતા છે ૩૧ માર્ચ સુધી માં કામ પૂર્ણ કરવા એજન્સી ને તાકીદ કરાઇ છે.
પ્રાથમિક શાળા ના બાળકો સાથે સંજયકુમાર સંવાદ કર્યો હતો.
વડનગર પ્રેરણા સ્કૂલ નું મોટાભાગ નું કામ પૂર્ણતા આરે છે.ત્યારબાદ વર્લ્ડ ક્લાસ અંડર ગ્રાઉન્ડ મ્યુઝીયમ ની મુલાકાત લીધી હતી તેમાં નિરીક્ષણ કરી ને ઓગસ્ટ માસ સુધી કામ પૂર્ણ તાકીદ કરી હતી. અને વડનગર માં સ્વચ્છતા માટે ભાર મૂક્યો હતો. ત્યારબાદ તોરણ હોટલ માં અધિકારી ઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજન વડનગર પ્રવાસન ખાસ ફરજ બજાવતા આર.આર.ઠક્કર , પ્રાંત અધિકારી, વડનગર મામલતદાર એસ એમ સેંઘવ, તથા પ્રવાસન વિભાગ સહિત ના અધિકારી ઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.