સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર: હિંમતનગરમાં મંદિરનું 45 ટકા કામ પૂર્ણ, 6 મહિનામાં મંદિર તૈયાર થશે - At This Time

સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર: હિંમતનગરમાં મંદિરનું 45 ટકા કામ પૂર્ણ, 6 મહિનામાં મંદિર તૈયાર થશે


હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરની જીર્ણોદ્ધારમાં 45 ટકા કામ પૂર્ણ થયું છે. આગામી 6 મહિનામાં મંદિર સંપૂર્ણ બનશે.આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકારના યાત્રાધામ બોર્ડ દ્વારા રૂ. 1 કરોડની ફાળવણી થયા બાદ જીર્ણોદ્ધારની કામગીરી શરૂ થઈ હતી. આખુંય મંદિર દૂર કરી બેઝમેન્ટની કામગીરી બાદ ધ્રાંગધ્રાના પથ્થરોથી મંદિરની કામગીરી શરૂ થઈ હતી. સમયાંતરે કામગીરી ચાલી રહી હતી. ત્યારે હાલમાં મંડપ અને ઘૂમ્મટનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ અત્યાર સુધીમાં 45 ટકા જેટલું કામ પૂર્ણ થયું ત્યારે આગામી 6 મહિનામાં મંદિર તૈયાર થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.