બાલાસિનોરમાં 2 નાયબ મામલતદાર સહિત 4 રેવન્યુ તલાટીની બદલી - At This Time

બાલાસિનોરમાં 2 નાયબ મામલતદાર સહિત 4 રેવન્યુ તલાટીની બદલી


બાલાસિનોર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા 2 નાયબ મામલતદાર અને 4 રેવન્યુ તલાટીની બદલી કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેકટર ભાવીનભાઈ પંડ્યા દ્વારા જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. જેમાં 13 ના.મામલતદાર, 56 રેવન્યુ તલાટી, 5 કલાર્કની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં બાલાસિનોર મામલતદાર કચેરીમાં ઈ ધરા ના.મામલતદાર બી.બી.પંચાલ અને સર્કલ ઓફિસર એસ.એલ ખરાડીની બદલી કરાઈ છે. જ્યારે તાલુકામાં ફરજ બજાવતા અન્ય 4 રેવન્યુ તલાટીની બદલી કરવામાં આવી છે.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.