બાલાસિનોર પ્રાથમિક શાળાઓ એક પછી એક વિવાદમાં આવી રહી છે
બાલાસિનોર
બાલાસિનોર તાલુકાની એક પછી એક પ્રાથમિક શાળા આચાર્ય ના કારનામા
બાલાસિનોર તાલુકાનું એકમાત્ર વેરાસા ગામ આદિવાસીઓનું જેમાં કમલા વિદ્યામંદિર વેરાસા રાજ્ય કક્ષાએ નામના મેળવેલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી મળતા અનાજ આદિવાસી ગરીબ બાળકો ને ન આપતા બજારમાં સગે વગે કરવામાં આવ્યું
*બાળકોને અનાજ ન મળવાનો વાલીઓનો આક્ષેપ*
*વારંવાર વાલીઓ સ્કૂલમાં જઈ રજૂઆત કરવા છતાં અનાજ ન મળતા રોસ ભભુકી ઉઠ્યો*
વેરાસાના પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફેબ્રુઆરી માસમાં લોકડાઉંન માં ગરીબ બાળકોને અપાતું અનાજ બારોબાર સગે વગે કરી બજારમાં વેચાયાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ શાળામાં બાળકોના વાલીઓ અનાજ ન મળવાની ચર્ચા થતાં શાળાના આચાર્ય દ્વારા શાળાના અનાજ નિભાવની રજીસ્ટર માં બાળકોની ખોટી સહી કરી બાળકોને અનાજ વિતરણ કરેલ છે એવી ખોટી સહી પણ આ શિક્ષક દ્વારા કરવામાં આવી છે તેવા આક્ષેપ પણ વાલીઓ અને બાળકો દ્વારા થઈ રહ્યા છે આ બાબતે ઉપરથી તપાસ થાય તો અન્ય ગ્રાન્ટોનો પૂરેપૂરો ઉપયોગ થયો છે કે કેમ અન્ય કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે
*ઉચ્ચકક્ષા તપાસ કરવામાં આવે તો અનેક શાળા ના આવા અનેક કારનામા બહાર આવી શકે છે*
વાલીઓનું વર્ઝન
(1) મારુ બાળક ધોરણ છ માં અભ્યાસ કરે છે પરંતુ કોરોના કાર્ડ દરમિયાન બેથી ત્રણ વાર સ્કૂલ પર અનાજ લેવા ગયેલ પરંતુ એક પણ વાર અનાજ મળેલ નથી ....
ભરતભાઈ રાયસીંગભાઇ નાયક વાલી
(૨)
મારી બાળકી નામે અંકિતા વેરાસા પ્રાથમિક શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે કોરોના કાર્ડ દરમિયાન એક જ વાર અનાજ મળેલ છે અને તેની સહી પણ ખોટી કરેલ છે...
.. બાલુબેન થોરી
(૩) મદદનીશ શિક્ષક
અમુક વાલીઓ મારો સંપર્ક કરતા જણાવેલ કે અમુક બાળકોને અનાજ મળ્યું છે અને અમારા બાળકોને અનાજ મળ્યું નથી તેમ કહેતા મેં તેમને મુખ્ય શિક્ષકનો સંપર્ક કરવા જણાવેલ અને 5:00 વાગ્યા પછી સ્કૂલમાં શું રમત રમાય છે તેની મને ખબર નથી પરંતુ મને જતા બીજા દિવસે મેં રૂમમાં તપાસ કરતા અનાજનો સ્ટોક જોવા મળેલ ન હતો....
પરમાર સોમાભાઈ મદદનીશ શિક્ષક
(૪) મુખ્ય શિક્ષક
આ આક્ષેપો ખોટા છે અમે અનાજ વિતરણ કરેલ છે જેને નથી મળ્યું એ અમારી પાસે સ્ટોક છે અમે વહેંચીશું.....
દીપક કુમાર નાથાભાઈ પટેલ મુખ્ય શિક્ષક
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]