આજે ફરી એક વાર કોંગ્રેસ ના ધારાસભ્ય સરકાર પર આકરા પ્રહારો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vbnbvfwllavd0vzp/" left="-10"]

આજે ફરી એક વાર કોંગ્રેસ ના ધારાસભ્ય સરકાર પર આકરા પ્રહારો


બાલાસિનોર વાયા દેવ ચોકડીથી વિરનીયા ચોકડી સુધીનો રસ્તો બને હજુ એક વર્ષ પણ થયું નથી અને તેના પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે બસ સ્ટેશન બનાવેલા તે પણ પડી ગયા છે છેલ્લા ૩ મહિનાથી ખાડા પૂરવામાટે મશીનથી ખોદી નાખવામાં આવ્યું છે જેનાથી રસ્તે ચાલતા વાહનોને હાલાકી ભોગવ વાનો વારો આવ્યો છે ૧૦૦ કરોડ ના ખર્ચે બનાવેલો રસ્તો એક વર્ષ પણ પૂરું થયા પહેલા તૂટી ગયો કોણ જવાબદાર આ બાબતે મે મુખ્ય મંત્રી ને પણ લેખિત માં રજુઆત કરેલી પણ એજન્સી સામે કોઇ પગલાં આજ દિન સુધી ભરવામાં આવ્યા નથી તો લાગતા વળગતા અધિકારીઓ એ તાત્કાલીક એજન્સી ને ખાડા પૂરવા સૂચન કરવું જો સત્વરે કામ ચાલુ કરવા માં નહી આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે
રિપોટર ભૌમિક પટેલ મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]