આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું - At This Time

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું


આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા શિવરાત્રી તહેવાર દ્વારા પૂજન-અર્ચન શાસ્ત્રોમાં દર્શાવ્યું છે જેનો લાભ મનો દિવ્યાંગ બાળકોને મળે તેવા શુભ આશયથી પવિત્ર તહેવાર શિવરાત્રિ નિમિત્તે અમદાવાદ ખાતે અખબાર નગર,નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો માટે બરફના શિવલીંગની ભગવાન ભોળાનાથની પુજા..બીલીપત્ર પુજન..શિવ સ્તુતિ મહામૃત્યુંજય મંત્રનુ આયોજન ઈલાબેન પટેલ, ગાયત્રી એપાર્ટમેન્ટ પરિવાર અને ગાયત્રી પરિવાર નારણપુરા તથા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે પ્રોગ્રામ ના અંતે દરેક મનો દિવ્યાંગ બાળકને ફરાળી ભોજન કરાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.