શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં હીંડોળા ઉત્સવનો પ્રારંભ - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં હીંડોળા ઉત્સવનો પ્રારંભ


શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં હીંડોળા ઉત્સવનો પ્રારંભ

તારીખ ૬-૮-૨૦૨૨ , શનિવારથી પ.પૂ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી હીંડોળા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રાવણ સુદ નોમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાનને ઝુલાવવા ઉમટી પડ્યા હતા. પૂજય સ્વામીજીએ હીંડોળા ઉત્સવનું માહાત્મ્ય સમજાવ્યું હતું. સ્વામીજીએ રીબીન કટીંગ કરી હીંડોળાને દર્શન માટે ખૂલ્લા મૂક્યા .થર્મોકોલના કલાત્મક હીંડોળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ઝુલતા હતા તે જોઈને સહુ કોઇના હૈયા આનંદથી ઉભરાતા હતા. આસપાસના અનેક ગામડામાંથી હરિભક્તોએ આ પ્રસંગનો લાભ લીધો હતો. અંતે પ્રસાદ લઈ સહુ છૂટ્યા પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.