મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં દલિત યુવાન ની હત્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ccl6c4icriw0imgz/" left="-10"]

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં દલિત યુવાન ની હત્યા


મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના રહીશ જયસુખ ભાઈ વજુભાઈ મૂછડિયા (ઉંમર વર્ષ 38) નામ ના દલિત યુવાન ની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કરુણ હત્યા કરી દેવામાં આવી છે આ યુવાન ની હત્યા ને લય મેંદરડા માં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે દલિત યુવાન ની હત્યાને લય મેંદરડા શહેર આંબેડકર ચોક ખાતે દલિત સમાજ ના આગેવાનો એકઠા થયા હતા અને લાશ ને આંબેડકર ચોક માં લઇ આવી સાસણ જુનાગઢ રોડ બંધ કરી ચકાજામ કર્યો હતો તેમજ જ્યાં સુધી હત્યારાઓ ની ધરપકડ ના થાય ત્યાં સુધી લાશ ઉપાડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો આ તકે જુનાગઢ એલસીબી, ડી.વાય એસપી. ક્રાઇમ બ્રાંચ તેમજ મેંદરડા પોલિશ દ્વારા શહેર માં ચુસ્ત બંધોબદસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ દલિત સમાજ ના આગેવાનો દ્વારા મૃતક ના પરિવાર ને સરકાર દતક લય તેમનું ભરણ પોષણ કરે અને પીડિત પરિવાર ને પૂરો ન્યાય મળે તેવી માંગ સરકાર સમક્ષ મૂકી હતી સવારથી લય 3 વાગ્યા સુધી શહેર ની અંદર આંબેડકર ચોક ખાતે દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને અંતે સરકાર ને આ આંદોલન થી જુકવું પડ્યું છે અને સરકાર દ્વારા દલિત સમાજ ના આગેવાનો ની માંગ સ્વીકારી હતી ત્યારબાદ પોલિશ ચુસ્ત બંદોબસ્ત સાથે લાશ ને અંતિમ ક્રિયા માટે મૃતક ના નિવાસ સ્થાને લય જવામાં આવી હતી જેમાં જુનાગઢ જિલ્લા માંથી સમગ્ર દલિત સમાજ ના લોકો તેમની અંતિમયાત્રા માં જોડાયા હતા

અહેવાલ; કૈલાશ વાઘેલા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]