સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ ને કરાયો સિવાલય નો શણગાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l6r7ymnhvpuzmhv6/" left="-10"]

સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ ને કરાયો સિવાલય નો શણગાર


સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ ને કરાયો સિવાલય નો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે તા. 01-08-2022ના રોજ પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવું પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવાલયની ઝાંખી કરવામાં આવેલ તથા સવારે 5: 45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ. પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિતે શ્રીહરિ મંદિરમાં બાકસના હિંડોળા કરી મંદિરમાં શુશોભન કરવામાં આવેલ છે તથા દિવ્ય સત્સંગનું સાંજે ૫: ૩૦ થી ૬: ૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે

report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]