અંકલેશ્વર માં આગામી ચૂંટણી સંદર્ભે મતદારો નો ડોર ટુ ડોર સર્વે ની કામગીરી હાથ ધરાય = ચૂંટણી બાબતે ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર થતા બુથ લેવલ ઓફિસરો એ શરૂ કર્યો ડોર ટુ ડોર સર્વે ! - At This Time

અંકલેશ્વર માં આગામી ચૂંટણી સંદર્ભે મતદારો નો ડોર ટુ ડોર સર્વે ની કામગીરી હાથ ધરાય = ચૂંટણી બાબતે ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર થતા બુથ લેવલ ઓફિસરો એ શરૂ કર્યો ડોર ટુ ડોર સર્વે !


અંકલેશ્વર માં આગામી ચૂંટણી સંદર્ભે મતદારો નો ડોર ટુ ડોર સર્વે ની કામગીરી હાથ ધરાય
= ચૂંટણી બાબતે ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર થતા બુથ લેવલ ઓફિસરો એ શરૂ કર્યો ડોર ટુ ડોર સર્વે !
તા:8/7/2022 થી 22/07/2022 સુધી ઘરે ઘરે બુથ લેવલ ઓફિસરો મતદારો ની યાદી બનાવશે ..
=સરકાર ની ગરુડા એપ્લિકેશન માં યાદી ને ડિજિટલાઇઝ કરવામાં આવશે !

19.07 અંકલેશ્વર
અંકલેશ્વર મામલતદાર કચેરી દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણી બાબતે બુથ લેવલ ઉપર મતદારો ના ડોર ટુ ડોર સર્વે નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં બુથ લેવલ ના અધિકારીઓ દ્વારા નોંધાયેલ મતદારો ,નવા મતદારો ,તેમજ ફેરફાર નો સર્વે કરી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદી સુધારણા સહીત સુધારણા પૂર્વે ની પ્રવૃત્તિ ઓ અંતર્ગત બીએલઓ દ્વારા તેઓ ને ફાળવવામાં આવેલ ભાગ માં સમાવિષ્ટ દરેક ઘર ની મુલાકાત તા. 8.જુલાઈ થી તા 22 જુલાઈ દરમ્યાન સર્વે નો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર મામલતદાર દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે વિધાનસભા મતવિભાગ ના તમામ બીએલઓ ને ડોર ટુ ડોર સર્વે ની કામગીરી સોંપવામાં આવી છે જેમાં નોંધાયેલ મતદારો , નવા મતદારો , મતદારો માં ફેરફાર જેવાકે સ્થળાન્તર થયેલા ,મૃત્યુ પામેલા નાગરિકો ના નામ મતદાર યાદી માંથી નામ કમી કરવા અંગે ના સર્વે નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે .જેમાં નવા મતદારો ને દાખલ કરવા માટે ફોર્મ તથા મતદાર યાદી માંથી નામ કમી કરવા તેમજ સ્થળાંતર અને મૃત્યુ અંગે ના ફોર્મ વિતરણ ની કામગીરી હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.