રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ - At This Time

રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ


*રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ*

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર ના લાડકવાયા દીકરા સુમિતનું અકાળે અવસાન થયુ હતુ સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ યુવાન સુમીત ડાંગરની યાદમાં પરિવારજનો દ્વારા રકતદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથિ નિમિતે સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર દ્વારા સોનગઢ સ્થિત મંદ બુદ્ધિ આશ્રમ ખાતે 100 થી પણ વધુ સંખ્યામાં રહેલા મંદ બુદ્ધિ ધરાવતા લોકોને ભોજન કરાવી બીજી પૂર્ણતિથિની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.