દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજે સાંજે લેઉવા-કડવા પાટીદારના રાસોત્સવમાં હાજરી આપી શકે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8tiiqn9qmqjqyxgv/" left="-10"]

દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજે સાંજે લેઉવા-કડવા પાટીદારના રાસોત્સવમાં હાજરી આપી શકે


આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સિનિયર આગેવાનો આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ આજે રાજકોટમાં રાત્રિરોકાણ કરશે. આ દરમ્યાન તેઓ શહેરના અર્વાચીન રાસોત્સવમાં પણ હાજરી આપવાના છે. આ સાથે તેઓ કડવા પાટીદાર સમાજ આયોજિત ક્લબ UV રાસોત્સવ અને લેઉવા પાટીદાર સમાજ આયોજિત ખોડલધામ રાસોત્સવમાં પણ હાજરી આપવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]