રાજકોટમાં કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા ને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલા અંતિમ શ્વાસ લીધા - At This Time

રાજકોટમાં કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા ને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલા અંતિમ શ્વાસ લીધા


માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. જો કે, રાજકોટના એક કારખાનેદાર ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું. તબીબી તારણ મુજબ તેમને હાર્ટ એટેક આવ્યાનું ખૂલ્યું છે. વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરિયા (ઉં.વ.52) ધનરાજ પાર્કમાં પરિવાર અને સોસાયટીના સભ્યો સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે જ અચાનક ઢળી પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.