હિંમતનગર મોતીપુરા બાયપાસ ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7srsurule9k3g7zl/" left="-10"]

હિંમતનગર મોતીપુરા બાયપાસ ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે


હિંમતનગર બાયપાસના ફોર લેનના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આરટીઓથી મોતીપુરા તરફ આવતા માર્ગ વચ્ચે ઓવર બ્રિજ પણ બંને તરફ પહોળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં આ ઓવરબ્રિજના બંને તરફ સ્લેબની કામગીરી પૂર્ણ થવાને આરે છે તો નવીન ટોલટેક્સની કામગીરી પણ અડધા ભાગની પૂર્ણ થઈ ચૂકી છે.

હાલની પરિસ્થિતિમાં રોડ પહોળો થતો હોવાને કારણે અવાર નવાર ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પણ ટૂંક સમયમાં જ ઓવરબ્રિજ અને ફોરલેન માર્ગની કામગીરી પૂર્ણ થઈ જશે જેને લઈ ટ્રાફિકની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે અમદાવાદ અને શામળાજી થી ઇડર તરફ જતાં વાહનચાલકોને પણ રાહત મળી રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]