બોટાદમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા શહેર રાજમાર્ગો પર ફરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7pqeymnp2qpfriir/" left="-10"]

બોટાદમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા શહેર રાજમાર્ગો પર ફરી


બોટાદમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્ય તી ભવ્ય શોભાયાત્રા શહેર રાજમાર્ગો પર ફરી

બોટાદ શહેરના મસ્તરામજી મંદિર ખાતેથી વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ મસ્તરામજી યુવક મંડળ દ્વારા શ્રી રામ જન્મોત્સવની શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શ્રી નવહથ્થા હનુમાનજી મંદિરના મહંત નિર્મળાનંદ સરસ્વતી બાપુ, શનિદેવ મંદિરના જમનાદાસ બાપુ,ગિરનારી આશ્રમ ના રાજગીરી બાપુ,શ્રી ગોકુળીયા નાથ જગ્યાના મહંત દિનેશબાપુ તેમજ ઓમ શાંતિ આશ્રમના બહેનો દ્વારા ભગવો ધ્વજ લહેરાવી શોભયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભયાત્રા સ્ટેશન રોડ,ટાવર રોડ,દીનદયાળ ચોક,લીમડાં ચોક,વખારિયા ચોક, શિવાલય મંદિર,તુરખા રોડ, જલમીન ટોકીજથી પાળીયાદ રોડ,હવેલી ચોક વગેરે માર્ગો પર શોભયાત્રા ફરી હતી શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું જયારે શહેર ભાજપ કાર્યલય પાસે શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, હરેશભાઈ ધાધલ,હરેશભાઈ પીઠવા,જીગ્નેશભાઈ બોળીયા વગેરે કાર્યકરોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રામાં વિશ્વહિન્દુ પરિષદ દુર્ગાવાહિની બહેનો એ તલવાર બાજીથી આકર્ષણ જમાવ્યું હતું શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રાનું શહેરના મસ્તરાજી મંદિર ખાતે પુર્ણાહુતી કરી મહાં આરતી તેમજ પ્રસાદનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં વિશ્વહિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ, મોન્ટુભાઈ માળી, બાપુભાઈ ધાધલ,મહેશભાઈ કણજરીયા,નીતિનભાઈ મિસ્ત્રી, આલકુભાઈ ધાધલ વગેરે કાર્યકરો જોડાયા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]