રાજકોટમાં સવારે મેલેરિયાથી દાદીએ દમ તોડ્યો તો સાંજે તાવથી પૌત્રએ અંતિમ શ્વાસ લીધા, પરિવાર પર વજ્રઘાત - At This Time

રાજકોટમાં સવારે મેલેરિયાથી દાદીએ દમ તોડ્યો તો સાંજે તાવથી પૌત્રએ અંતિમ શ્વાસ લીધા, પરિવાર પર વજ્રઘાત


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં 67 વર્ષના દાદીએ સવારે દમ તોડી દીધા બાદ સાંજે 9 વર્ષના પૌત્રએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. પરિવારે એક જ દિવસમાં બબ્‍બે સ્‍વજન ગુમાવતાં વજ્રઘાત થયો હતો. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા રોગ હેઠળ સારવાર ચાલી રહી હતી. જ્યારે પૌત્ર પણ તાવ-કળતરથી પીડાતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.