ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી ભાજપમય વાતાવરણ સર્જ્યું - At This Time

ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી ભાજપમય વાતાવરણ સર્જ્યું


ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ વીરનગર, કાનપર, જંગવડ, પાંચવડા, જેવા ગામોમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના પ્રચારમાં નીકળ્યા હતા. અને આ પ્રચારમાં નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા, વિકાસની રાજનીતિ સાથે આગળ વધવા, અને પોતાના મતાધિકારના આશીર્વાદ દ્વારા ભાજપને વિજય અપાવવા માટે આહવાન કર્યું હતું. આ તકે ડોક્ટર ભરત બોઘરા ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત કરતા લોકોના મેળાવડા ઉમટી પડ્યા હતા અને મતદાન દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે અને એક મતની અને જૂથની શું તાકાત છે તેના વિશે ચર્ચા કરી હતી. આ પ્રચારમાં ભાજપના વિવિધ વિભાગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો આ પ્રચારમાં ઉપસ્થિત રહેતા ડોક્ટર ભરત બોઘરાએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.