જસદણના આનંદ નગરમાં આવેલ તાત્કાલિક હનુમાનજીના દર્શન મણીંદા પ્રસાદનૉ લાભ લેતા મંત્રી બાવળીયા - At This Time

જસદણના આનંદ નગરમાં આવેલ તાત્કાલિક હનુમાનજીના દર્શન મણીંદા પ્રસાદનૉ લાભ લેતા મંત્રી બાવળીયા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેર વોર્ડ નંબર 5 આનંદ નગરમાં બિરાજતા તાત્કાલિક હનુમાનજી મહારાજ ના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઍ હાજરી આપી અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લહાવો લીધૉ હતો તેમજ અહીં દાદાના મણીંદા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય પ્રસાદનો પણ લાભ લીધો હતો આતકૅ પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી યુવા ભાજપ આગેવાન યશવંત ઢોલરિયા ખેડૂત આગેવાન વલ્લભભાઈ ખાખરિયા પૂર્વ મહામંત્રી નિમેશભાઇ શુક્લ ખેડૂત આગેવાન જાદવભાઈ માળવીયા પાટીદાર અગેવાન હિતેશભાઈ માલસણા સહિત ના આગેવાન દાદા ના મણીંદા પ્રસાદ તેમજ દર્શનનો લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પીવાના પાણી માટે આલાંસગર ડેમ માં નર્મદા ના નીર છોડવામાં આવતા લોકો માં હર્ષ ની લાગણી અનુભવી હતી અને વિસ્તાર વાસીઓએ મંત્રી બાવળિયાનો આભાર પ્રગટ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.