રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને શહેરાનગર ભગવા રંગમા રગાયું - At This Time

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને શહેરાનગર ભગવા રંગમા રગાયું


શહેરા,

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે.પંચમહાલના શહેરાનગર પણ ભગવા રંગથી રંગાયુ છે.નગરમાં આવેલા વિવિધ જગ્યાઓ પર કેસરીધજાઓ લગાવામા આવી છે.સાથે ગ્રામીણ વિસ્તારોમા પણ રામમંદિરની સ્થાપનાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અયોધ્યામાં આવતીકાલે ભગવાન શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ,જેને લઈને દેશભરમાં રામભક્તિનો માહોલ છવાયો છે. પંચમહાલ જીલ્લો પણ રામમય બન્યો છે,શહેરાનગરમા રામભક્તો દ્વારા ઠેરઠેર કેસરી ધજાઓ લગાવામા આવી છે.શહેરમાથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર પણ કેસરીધજાઓ લગાવામા આવી છે.સાથે સાથે લોકોએ પોતાના ઘરો-મકાનો પર પણ કેસરીધજાઓ લગાવીને ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ પ્રગટ કરી છે. આવતીકાલે શહેરાનગરમાં પણ દિવાળી જેવો માહોલ રહેવાનો છે.શહેરા નગરમાં ઠેર ઠેર રોશની થી જગમગી ઉઠ્યું છે નાડા રોડ તેમજ મેઈન બજાર વિસ્તાર ભગવા રંગથી રંગાયુ છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મંદિરોમા ભજનકિર્તનના કાર્યક્રમો પણ થઈ રહ્યા હોવાની વિગતો સાંપડી છે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.