આજે સિહોર યુવા યુગ પરિવર્તન સંસ્થા દ્વારા 23 માર્ચના બલિદાન નિમિત્તે મહારક્તદાન શિબિરનું અયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4npopah2gkzmapzw/" left="-10"]

આજે સિહોર યુવા યુગ પરિવર્તન સંસ્થા દ્વારા 23 માર્ચના બલિદાન નિમિત્તે મહારક્તદાન શિબિરનું અયોજન કરવામાં આવ્યું.


23 માર્ચ એટલે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુનો બલિદાન દિવસ એટલે આ મહાન ક્રાંતિકારીઓ સ્વાતંત્રતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ત્યારે તેમની સ્મૃતિરૂપે યુવા યુગ પરિવર્તન તેમજ યુવા યુગ પરિવાર ટ્રસ્ટ સંસ્થા દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંકમાં સહયોગ થી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિહોર શહેરના યુવાનો, YYP ના સદસ્યો,વડીલો તેમજ બહેનોએ રક્ત આપ્યું હતું અને 53 યુનિટ રક્ત રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવે છે.... રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]