જાણો આટકોટમાં આવતી કાલે જસદણ સુધી શા માટે રેલી નીકળશે ? - At This Time

જાણો આટકોટમાં આવતી કાલે જસદણ સુધી શા માટે રેલી નીકળશે ?


જાણો આટકોટમાં આવતી કાલે જસદણ સુધી શા માટે રેલી નીકળશે ?

આટકોટમાં વીર યુવા સ્વાભિમાન સેના દ્વારા કાલે 21 તારીખના રોજ આટકોટ વીર યુવા સ્વાભિમાન સેનાના બધા સૌ મળીને સવારે 11:00 વાગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે બોટાદ ખાતે દેવી પુજકની સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને બાદ હત્યા કરનારને ફાંસીની સજા મળે તે માટે આવતીકાલે આટકોટ ખાતે થી જસદણ મામલતદાર કચેરી સુધી રેલી નીકળશે. આટકોટ વીર યુવા સ્વાભિમાન સેના ના દરેક યુવાનો મામલેદાર જઈને આવેદન પાત્ર પાઠવશે. આટકોટ વીર યુવા સ્વાભિમાન સેનાના સભ્ય વિશાલ કુવરિયાએ દેવી પૂજક સમાજના દરેક યુવાનો આ રેલીમાં જોડાય તેવો અનુરોધ કર્યો છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.