બોટાદના ઢાંકણીયા ગામે જૂની અદાવત માં યુવાનની હત્યા મામલે 6 હત્યારાઓ ને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાને રીકન્ટ્રકટ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1yrthch6eyufkyzr/" left="-10"]

બોટાદના ઢાંકણીયા ગામે જૂની અદાવત માં યુવાનની હત્યા મામલે 6 હત્યારાઓ ને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાને રીકન્ટ્રકટ કરવામાં આવી.


ડી.વાઈ.એસપીના અધ્યસ્થાને પાંચ પોલીસ અધિકારીની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટિમ..

બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે શુકવારે રાત્રીના જૂની અદાવતમાં નવઘણભાઈ જોગરણા ઉવ 30 ની 6 શખ્સોએ હત્યા કરી નાખવામાં આવેલ જે અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ઈકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ,દાઉદભાઈ રહીમભાઈ રાઠોડ,અમન ઈકબાલભાઈ રાઠોડ,સાજીદ ઈકબાલભાઈ રાઠોડ,બહાદુર ઈકબાલભાઈ રાઠોડ અને હકુભાઈ રહીમભાઈ રાઠોડ સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવેલ જેને લઈ પોલીસ ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હોઈ અને આન રોજ ઢાંકણીયા ગામે તમામ 6 હત્યારાઓને સાથે રાખી મસ મોટા પોલીસ કાફલા સાથે રાખી સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું .બોટાદ ડી.વાઈ.એસપી મહર્ષિ રાવળ દ્વારા માહિતી આપતા જણાવેલ કે સમગ્ર ઘટનાની ન્યાય પૂર્ણ તપાસ થાય તે માટે ડી.વાઈ.એસપીના અધ્યસ્થાને પાંચ પોલીસ અધિકારીની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટિમ નિમણૂક કરવામાં આવી છે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]