શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ 8 ના - At This Time

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ 8 ના


વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો આજરોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં ધોરણ -8ના ભાઈઓ,બહેનો તેમજ દીદી દ્વારા વંદના ખંડને સુશોભન કરીને શણગારવામાં આવ્યો વિદાય સમારોહ નું સંચાલન પ્રીતીદીદી દ્વારા કરવામાં આવ્યું ધોરણ 8 ના ભાઈઓ,બહેનો દ્વારા કોમેડી નાટકો,અંધશ્રદ્ધા દૂર કરતું હાસ્યનાટક,ડાયલોગ પર એક્ટિંગ, શાળાની શરૂઆતથી શાળાની વિદાય સુધીના અભિનયપાત્રો બહેનો એ રજૂ કર્યા તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા શાળા વિશે અનુભવો પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા વિદાય સમારોહ અનુરૂપ શૈક્ષણિક માર્ગદર્શન પ્રધાનાચાર્ય શ્રીહસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્યશ્રી રાજેન્દ્રગુરુજી દ્વારા બાળકોને આપવામાં આવ્યું શિશવાટિકાના અનુભવી લતા દીદી ધર્મિષ્ઠાદીદી દ્વારા બાળકોને શુભેચ્છા માર્ગદર્શન પૂરું પાડ્યું વિદાયસમારોહમાં ધોરણ-8 ના ભાઈઓ,બહેનો દ્વારા વિદ્યાલયની ખૂટતી વસ્તુઓ ભેટ આપવામાં આવી વિદાયસમારોહ વ્યવસ્થામાં ઋત્વીદીદી,અવંતિકાદીદી, મોનાદીદી, પારુલદીદી દ્વારા મદદરૂપ રહ્યા હતા વિદાય સમારોહ ના અંતે બાળકોને મન ભાવતી ખાણીપીણી એટલે પાણીપુરીનો ભરપૂર આનંદ માણ્યો વિદાયસમારોહને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.