ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો


ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો

ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલની સૂચના મુજબ માલગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ 20 એપ્રિલ 2024 (શનિવાર)ના રોજ રેલવે કર્મચારી વિજય મેર (લોકો પાયલટ) માલગાડ઼ી નંબર PPSP CKYR પર કામ કરતી વખતે સાંજે 06:55 વાગ્યે કિ.મી. 21/1-21/2 પીપાવાવ-રાજુલા સેક્શનની વચ્ચે અચાનક સિંહને ટ્રેક પર આવતો જોઈને તેણે ઇમરજન્સી બ્રેક લગાવી અને સિંહનો જીવ બચાવ્યા માટે ટ્રેનને 50 મીટર આગળ અટકાવી દીધી.સિંહે ટ્રેક ઓળંગ્યા બાદ ફોરેસ્ટ ગાર્ડે સ્થળ તપાસ કરી ટ્રેનને તેના રસ્તે રવાના કર્યું હતું.આ માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.માહિતી મળતાં,ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાઇલટને તેમના પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.