મેંદરડા ના સમઢીયાળા સ્થિત શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગો માટેની સંસ્થામાં ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1cvn1bbp6xqjjaoa/" left="-10"]

મેંદરડા ના સમઢીયાળા સ્થિત શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગો માટેની સંસ્થામાં ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી


શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સમઢીયાળા ગીર સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં ધુળેટી પર્વની ધામધૂમતી કરવામાં આવેલી ઉજવણી
જેના જીવનમાં જીવતરના રંગોની જ ઉણપ છે અને શારીરિક દિવ્યાંકતા ધરાવતા આ બાળકો ને વર્તમાન સમય સાથે અને સમાજ જીવન સાથે તાલ મેળવતા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના સંચાલક દ્વારા આ માટે આયોજન કરવામાં આવેલ હતું સરસ મજાના આહલાદક વાતાવરણમાં સવારના સમયે ડીજેના તાલે વિવિધ રંગોથી આ બાળકો સાથે સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને સમઢીયાળા ગામના નગરજનો સાથે મળીને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી વિવિધ રંગી રંગો વચ્ચે આ દિવ્યાંગ બાળકો રાસ ગરબા રમીને આનંદિત થયા હતા અને ખૂબ જ ખુશ થયા હતા
આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી એ તમામનો આભાર માન્યો હતો અને આ બાળકોને આવો જ પ્રેમ અને હૂંફ મળતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમની યાદીમાં જાણવામાં આવેલ હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]