શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 115 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zneum84dqyigcean/" left="-10"]

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 115 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 115 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
સ્વ. માતુશ્રી ભાગીરથીબહેન મનસુખલાલ આચાર્યની સ્મૃતિમાં જામનગર સ્થિત ડૉ. કે. એમ. આચાર્ય ના સૌજન્ય થી શ્રી ભરતભાઇની ઉપસ્થિતિમાં 452 A મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. રસિકલાલ છગનલાલ દવેના રમારણાર્થે શ્રી રાજેશભાઈ રસિકલાલ દવેની ઉપસ્થિતિમાં 452 B મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.25 નવેમ્બરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 115 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શ્રુતિબહેન ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ 22 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના 22 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.
તેમજ શિયાળાની ઠંડા વાતારણમાં શરીર ના રક્ષણ માટે ડો. કે. એમ. આચાર્ય તરફ થી દર્દીઓને સોલપુરી શાલ શ્રી ભરતભાઈ ની ઉપસ્થિતિમાં ભેટ આપવામાં આવી હતી..આ ઉપરાંત સ્વ. રસિકલાલ દવેના સૌજન્ય થી 452 B પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 15 દર્દી ઓને તા.28 નવેમ્બર ના રોજ લઈ કેટ્રેક સર્જરી માટે લઈ જવામાં આવશે..

દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી...............................

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]