માળીયા તાલુકાના દુધાળા પાસે આવેલ વ્રજમીડેમ નું સપ્ટેમ્બર મહિનાનું રૂરલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો - At This Time

માળીયા તાલુકાના દુધાળા પાસે આવેલ વ્રજમીડેમ નું સપ્ટેમ્બર મહિનાનું રૂરલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો


માળીયા હાટીના તાલુકાના વ્રજમી ડેમનું સપ્ટેમ્બર મહિનાનું રૂરલ લેવલ પાણી જાળવવા માટે આજે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવા આવ્યું તેથી વ્રજમી ડેમ નીચે આવતા ગામો જેમ કે નાની ધનેજ, મોટી ધનેજ, કડાયા, વાંદરવડ, દુધાળા, વડીયા, સરકડીયા, ઇટાળી, ઝડકા, સમઢીયાળા, ગડુ , વિસનવેલ સહિતના 12 ગામોના લોકો ને નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ માલઢોર જવા દેવા નહિ તેવી સાવચેતી રાખવા ડેમના ફરજના અધિકારી વી.વી.પરાલિયા એ યાદી જણાવેલ છે. આ તકે તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.